નિર્વિકલ્પે

હોય તૃષ્ણા બીજને પણ ફૂંટવાની
તો જ ઘટનાઓ ઘટે છે ઊગવાની..

રોજ રાત્રે એ ગણે છે તારલાઓ -
છે ઘડી કૈ વીજ ચમકારો થવાની ?

માંગવું છે આજ જો તારો ખરે તો
એટલે બસ રાત આખ્ખી જાગવાની

એ જ મારી સાધના છે જોઈ લે તું
ત્યાગ દ્વારા હું ઘણુંયે પામવાની

ઝિંદગી શતરંજ છે, પ્યાદા રમે છે..
નિર્વિકલ્પે ચાલ કોઈ ચાલવાની....


-કવિ રાવલ...